ભીખારીના મૃત્યુ બાદ ઘર ખોલ્યુ તો નીકળ્યા એટલા રૂપિયા કે જાણીને આંખો ફાટી જશે

અજબ-ગજબ

64 વર્ષના શ્રીનિવાસન તિરુમાલામાં આવતા વિઆઇપી તીર્થયાત્રીઓ પાસે ભીખ માંગતા હતા અને તે વીઆઇપી ભક્તો પાસેથી ત્યાં સુધી નહોતો હટતો કે જ્યાં સુધી તે તેમને ચાંદલો કરીને પૈસા ન લઇ લેય તેના ઘરમાંથી લાખો રૂપિયાની રકમ મળી આવી છે.

પટારામાં મળી આવી રકમ

ગયા વર્ષથી જોવામાં આવી રહ્યું છે કે અનધિકૃત લોકો શેષાચલ નગર સ્થિત તેમના ઘર પર કબ્જો કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. તેમને અંદાજો હતો કે તેની પાસે લાખો રૂપિયા છે માટે પાડોશીઓએ ટીટીડીના અધિકારીઓ અને પોલીસને સૂચના આપી હતી. જે રકમ મળી આવી છે તે બે બેગ ભરીને મળી આવી છે.

શ્રીનીવિસનનો કોઇ પરિવાર નથી. તેની સંપત્તિ ગણવામાં આવી તો 6 લાખ 15 હજાર 50 રૂપિયા નીકળ્યા હતા. થોડા સમય પહેલા ફેમસ અભિનેત્રી દીપિકા પાદુકોણ ત્યાં ગઇ હતી તો ત્યાં પણ શ્રીનિવાસન તેની પાછળ ગયા અ્ને દક્ષિણા લઇને જ પરત ફર્યા હતા.

કહેવાય છે ને કે માણસ ખાલી હાથ આવે છે અને ખાલી હાથ જ જાય છે. આ વાત આ ભિખારી પર પણ લાગૂ થઇ છે અને હવે જ્યારે તે હયાત નથી ત્યારે તેની સંપત્તિ સરકારી ખજાનામાં પહોંચી ગઇ છે. આખી જીંદગી વીઆઇપી શ્રદ્ધાળુંઓને ચાંદલા કરીને ભેગી કરેલી રકમ ધરતી પર મૂકીને જ વૈકુંઠ જવુ પડ્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *