ગુજરાતના જાણીતા સંત અને મહામંડલેશ્વર ભારતીબાપુ અમદાવાદ સ્થિત સરખેજ આશ્રમમાં બ્રહ્મલીન થયા છે. બાપુના બ્રહ્મલીન થયા હોવાના સમાચાર મળતા જ સંત સમાજમાં શોકની લાગણી જોવા મળી રહી છે. બાપુના અંતિમ દર્શન અમદાવાદમાં સવારે 9.30 વાગ્યા સુધી થઈ શકશે.
બાપુના અંતિમ દર્શન કરવા માટે આશ્રમમાં ઘણા બધા સંતો અને સાધુ આવી પહોંચ્યા હતા. જગન્નાથજી મંદિરમાં મહંત દિલીપદાસજીએ એક મહાન સાધુ ગુમવ્યાનું દુઃખ વ્યક્ત કર્યું.
બાપુના નશ્વર દેહને જૂનાગઢ લઈ જવામાં આવશે અને ત્યાં વિધિ અનુસાર તેમને સમાધિ આપવામાં આવશે. ભારતીબાપુએ ધાર્મિક અને સામાજીક સેવાકીય પ્રવૃતિ દ્વારા અનેક પથદર્શક કામગીરી કરી હતી જેના લીધા વિવિધ સંપ્રદાયના સાધુઓમાં દુખની લાગણી જોવા મળી રહી છે.
પરમ પૂજ્ય શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી ભારતીબાપુના બ્રહ્મલીન થયાના સમાચાર સાંભળી શોકમગ્ન છું.
પરમ કૃપાળુ પરમાત્મા એમના દિવ્ય આત્માને સદ્ગતિ અર્પે અને ભક્તગણને આ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રાર્થના.
ૐ શાંતિ…!!
— Vijay Rupani (@vijayrupanibjp) April 11, 2021