ભારતીય શાસ્ત્રો મુજબ લગ્ન એક ખૂબ જ પવિત્ર સંસ્કાર છે. જે બાદ સ્ત્રી અને પુરુષ બંને એકબીજાને દરેક પરિસ્થિતિમાં સાથ આપવાનું વચન આપે છે. પરંતુ જ્યારે શારીરિક સંબંધની વાત આવે છે ત્યારે ઘણીવાર કામવાસનાને વશ થઈને આપણે કેટલીક ભૂલ કરી બેસીએ છીએ. ત્યારે આજે જાણી લો કે શાસ્ત્ર મુજબ ક્યા પ્રકારની સ્ત્રીઓ સાથે સંબંધ બાંધવાથી તમે મહાપાપના ભાગીદાર બનો છો.
અવિવાહિત સ્ત્રી : કોઈ પુરુષે એક કુંવારી સ્ત્રી સાથે લગ્ન વગર ક્યારેય સંબંધ બાંધવા જોઈએ નહીં. પછી ભલે એ સંબંધ એકબીજાની મરજીથી હોય કે બળજબરી પૂર્વક. શાસ્ત્રો મુજબ આ પાપ ગણાય છે.
વિધવા સ્ત્રી : પ્રતિકાત્મક તસવીરપુરુષે ભૂલથી પણ કોઈ વિધવા સ્ત્રી સાથે સંબંધ બાંધવા જોઈએ નહીં. જોકે પુરુષ આવી સ્ત્રી સાથે પુનર્લગ્ન કરે તો તે સંબંધ રાખી શકે છે.
બ્રહ્મચર્યનું પાલન કરતી સ્ત્રી : જો કોઈ સ્ત્રી સાધના કરી રહી હોય કે વ્રત પૂજા કરતી હોય તે દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરતી હોય તો તેવી સ્ત્રી સાથે ક્યારેય શારીરિક સંબંધ બાંધવો જોઈએ નહીં. જો પુરુષના કારણે કોઈ સ્ત્રીનું વ્રત ભંગ થાય છે તો તેના પર મહાપાપ લાગે છે.
મિત્રની પત્ની : પોતાના મિત્રની પત્ની પર કોઈપણ સંજોગોમાં કુદ્રષ્ટી નાખવી જોઈએ નહીં. તેમજ દોસ્તની પીઠ પાછળ તેની સ્ત્રી સાથે સંબંધ બનાવવો મોટું પાપ છે. આવી સ્ત્રીઓને સમ્માનની નજરથી જોવી જોઈએ.
દુશ્મનની પત્ની : શાસ્ત્રો મુજબ દુશ્મની પત્ની સાથે પણ સંબંધ બાંધવો કે તેની સાથે બળજબરી કરવી મહાપાપ છે. આવી સ્ત્રી જો સામેથી પણ તમારી પાસે આવે તો તેને પૂર્ણરુપે ઇગ્નોર કરવી જોઈએ.
શિષ્ય કે કર્મચારીની પત્ની : પોતાની સાથે નીચેના હોદ્દા પર કામ કરતા અથવા પોતાના શિષ્યની પત્ની સાથે ભૂલથી પણ શારીરિક સંબંધ બાંધવા જોઈએ નહીં. આ શાસ્ત્રોમાં ઉલ્લેખીત મહાપાપમાંથી એક છે.
પોતાના પરિવારની અન્ય સ્ત્રી : પોતાના જ પરિવારની બીજી કોઈ સ્ત્રી સાથે પણ સંબંધ રાખવો શાસ્ત્ર મુજબ પાપ છે. તેનું પરિણામ ખરાબ આવે છે.
વેશ્યા : પ્રાચીન સમયની વાત હોય કે આધુનિક યુગની વાત પ્રોસ્ટિટ્યુટ કે કોલ ગર્લની વ્યવસ્થાને ક્યારેય શાસ્ત્રો દ્વારા પ્રમાણીત કરવામાં આવી નથી. આ વ્યવસ્થઆને હંમેશા એક કલંક તરીકે જોવામાં આવી છે. આવી સ્ત્રી સાથે શારીરિક સંબંધ મહાપાપ છે.
નશામાં ડુબેલી સ્ત્રી : ક્યારેય નશામાં ડુબેલી સ્ત્રીનો ગેરલાભ લેવો જોઈએ નહીં. કોઈ કારણે નશામાં ભાન ભુલેલી સ્ત્રી સાથે સંબંધ બાંધનાર પુરુષ મહાપાપી કહેવાય છે.
પોતાના કરતા મોટી ઉંમરની સ્ત્રી : પોતાના કરતા ઘણી મોટી ઉંમરની સ્ત્રી સાથે પણ સંબંધ રાખવો જોઈએ નહી. આવી સ્ત્રી બીજા કોઈની હોય તો તેને પોતાની તરફ આકર્ષિત કરવાનું પાપ ક્યારેય કરવું જોઇએ નહીં.
શિક્ષકની પત્ની : પોતાના ગુરુ, શિક્ષક અને નિર્દેશકની પત્ની સાથે ક્યારેય સંબંધ રાખવો જોઈએ નહીં. પરંતુ ઘણા લોકો આવું પાપ કરી બેસે છે. શાસ્ત્રો મુજબ તેમને મૃત્યુબાદ નર્કમાં આ ભોગવવું પડે છે.
કોઈ અજાણી સ્ત્રી : કોઈપણ વ્યક્તિએ પોતાની પત્ની સીવાય અન્ય કોઈ સ્ત્રી સાથે શારીરિક સુખ માણવું જોઈએ નહીં. તેમજ કોઈ અજાણી સ્ત્રીને પણ પોતાની નજીક આવવા દેવી જોઈએ નહીં. આવી સ્ત્રી સાથે સંબંધથા પાપ લાગે છે.