રિવાજો અને પરંપરા અનુસાર લગ્ન દરેક ધર્મમાં પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પરંતુ દરેક જગ્યાએ આ સ્થિતિ નથી. અંધશ્રદ્ધાને કારણે ભારતનાં દૂરના વિસ્તારોમાં આજે પણ વિચિત્ર લગ્નો થાય છે. મોટી ઉમર ના પુરુષો નાની ઉપર ની દીકરી સાથે લગ્ન કરે એ તો સાંભળીયુ હતું પણ આજે કૈક નવો જ કિસ્સો સામે આવીયો છે. આ તો તમે પેહલી વાર જ સાંભળીયુ હશે કે સ્વાન ને પણ દુલ્હન મળી ગઈ.
શા માટે સ્વાન ને બનાવીયો વરરાજો:
ઝારખંડની રાજધાની રાંચી નજીકના એક ગામમાં એક કિસ્સો મળી આવ્યો હતો, જ્યાં 18 વર્ષીય યુવતીના લગ્ન સ્વાન સાથે થયાં હતાં કારણ કે ગામના બાબાએ છોકરીના પરિવારને કહ્યું હતું કે છોકરીમાં ભૂત-પ્રેત ની છાયા છે અને સ્વાન લગ્ન નહીં કરે તો , કુટુંબ વિનાશ પામશે. એક બાબાએ છોકરીના પરિવારને કહ્યું કે પુત્રીના કોઈ પણ મનુષ્ય સાથે લગ્ન કરતા પહેલા સ્વાન સાથે કરવા પડશે.
શું આ લગન થી દુલ્હન ખુશ છે.?
છોકરી, જેણે ક્યારેય સ્કૂલના ઉંબરે પગ મૂક્યો નથી, તે કહે છે કે ‘તે સ્વાન સાથે લગ્ન કરતાં ખુશ નથી, પણ પોતાનું અને કુટુંબનું ભવિષ્ય જોઈને તેણે એવું કરવું જરૂરી માન્યું.’ તેણી કહે છે કે ‘મેં લગ્ન કર્યા કારણ કે ગામના વડીલોનું માનવું છે કે આમ કરવાથી ભૂત-પ્રેત ની છાયા સ્વાનમાં પ્રવેશ કરશે. આટલું કર્યા પછી, હું કોઈ પણ મનુષ્ય સાથે લગ્ન કરીને સુખી લગ્ન જીવન જીવી શકું છું.