યુરોપના દેશ નેધરલેન્ડમાં આર્ટ માર્કેટમાં ચીનના એક મંદિરમાંથી સોનાની પ્રતિમા લાવવામાં આવી છે. આ મૂર્તિમાં એક બૌદ્ધ સાધુ ધ્યાન માં બેઠો છે. ત્યાંના કોઈને ખબર નથી કે આ મૂર્તિ ક્યારે અને કેવી રીતે એશિયાથી યુરોપ લાવવામાં આવી હતી, પરંતુ એક અંદાજ મુજબ આ મૂર્તિ લગભગ 1000 વર્ષ જૂની સોનાની મૂર્તિ છે. જેઓ પ્રાચીન વસ્તુઓથી બનેલી કલા પસંદ કરે છે, તેમના માટે આ મૂર્તિ ખૂબ જ મૂલ્યવાન છે. જ્યારે નિષ્ણાતોએ તેને સારી રીતે જોયું ત્યારે તેમને તેમાં કંઈક અલગ જ જોવા મળ્યું.
1000 વર્ષ જૂની સોનાની પ્રતિમાનું રહસ્ય
જ્યારે સંશોધનકારોએ આ પ્રતિમાને સારી રીતે જોયું ત્યારે તેઓએ તેમાં એક માનવની તસ્વીર જોઇ હતી.ત્યારબાદ ઇટાલી, જર્મની અને નેધરલેન્ડના ઘણા વૈજ્ઞાનિકો અને સંશોધકોએ તેની શોધ શરૂ કરી હતી. આ મૂર્તિનું સીટી સ્કેન કરવામાં આવ્યું હતું, જે દરમિયાન તેણે મૂર્તિમાં માનવ શરીર જોયું, તો તે સમજી ગયા કે આ કોઈ નાની મૂર્તિ નથી.
ખરેખર, તે બૌદ્ધ સાધુનું સચવાયેલું શરીર હતું. વૈજ્ઞાનિકોએ વિચાર્યું કે જે વ્યક્તિનું શરીર આ પ્રતિમાની અંદર હતું તે આશરે 30 થી 50 વર્ષ જૂનું હોવું જોઈએ અને માનવ શરીરની ત્વચા અને સ્નાયુઓ પણ સલામત છે. એન્ડોસ્કોપ દ્વારા શરીરની અંદરથી નમૂનાઓ પણ લેવામાં આવ્યા હતા, જેમાં તે બૌદ્ધ સાધુના તમામ અંગો કાઢી લેવામાં આવ્યા હતા અને તેમાં કાગળ ભરાયા હતા.
આ મૂર્તિ પાછળનું રહસ્ય શું છે?
આ મૂર્તિ પર સંશોધન કરી રહેલા સંશોધનકારોએ જણાવ્યું હતું કે બૌદ્ધ સાધુઓ જે મૂર્તિની અંદર હતા તેઓએ લગભગ 1200 વર્ષ પહેલાં પોતાને એક ગુફામાં કેદ કરી હતી, ત્યારબાદ તેઓ પ્રાણાયામ અવસ્થામાં ધ્યાનમાં લીન થઈ ગયા હતા. આ ઘટના લગભગ 14 મી સદીની કહેવામાં આવી રહી છે. ઇતિહાસકારોનું માનવું છે કે સંન્યાસીની મૃત્યુ પછી, તે ચીનના મંદિરમાં પૂજા કરવામાં આવતો હતો અને આ લગભગ 200 વર્ષોથી થઈ રહ્યું છે, તેમના અનુયાયીઓએ તેના શરીરને સુરક્ષિત રાખવા માટે તમામ અવયવો કાઢી તેના શરીરની ઉપર સોનાની પરત ચડાવી દીધી અને તેને મમ્મી બનાવી દીધું હતું
હજારો વર્ષો પહેલા બૌદ્ધ સાધુઓ જાપાન, થાઇલેન્ડ અને ચીનમાં સમાધિ લેતા હતા. આ મૂર્તિ પણ તેમાંથી એક છે, જેનું નામ બૌદ્ધ સાધુ લિયુક્વાન છે, જે હવે મમીમાં ફેરવાઈ ગયું છે. જેને હાલમાં બુડાપેસ્ટના નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમમાં રાખવામાં આવ્યા છે.