વિદેશોથી લઇને ભારતીય ફિલ્મ જગતમાં પણ એ કિસ્સાઓ સામે આવી જ ચૂક્યા છે કે જ્યાં છોકરાઓ લગ્ન કરેલી યુવતીઓના પ્રેમમાં જ પડતા હોય છે. જે એક પ્રકારે અસામાન્ય ઘટના જ લાગે છે. કોઇ પણ વ્યક્તિને આ સાંભળી થોડુ અટપટુ અચૂક લાગશે
આજે એવા ઘણા ઉદાહરણ આપણી સામે આવી ગયા છે કે લગ્ન કરેલી યુવતીઓના પ્રેમમાં છોકરાઓ ખૂબ પડતા હોય છે. હાલમાં જ એક સંશોધન થકી બહાર પડેલા અહેવાલમાં આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. અને આ શોધમાં કારણ જણાવવામાં આવ્યું છે કે, શા માટે છોકરાઓ લગ્ન કરેલી સ્ત્રીઓના પ્રેમમાં પડી જતા હોય છે.
1-આત્મવિશ્વાસ…
લગ્ન કરેલી સ્ત્રીઓ લગ્ન ન કરેલી યુવતીઓના મુકાબલે આત્મવિશ્વાસથી એકદમ સભર હોય છે. તેમનો આ આત્મવિશ્વાસ છોકરાઓને પોતાની તરફ આકર્ષિત કરતો હોય છે. પુરૂષોને લાગે છે કે લગ્ન કરેલી મહિલાઓ તમામ સમસ્યાઓની સામે સારી રીતે જ લડી શકશે.
2- કેયરીંગ પાર્ટનર…
લગ્ન કરેલી મહિલાઓ વધારે પડતી કેર કરનારી પણ હોય છે. લગ્ન બાદ પરિવારની ચિંતા તેમની અંદર જન્મ લે છે. જેના કારણે પુરૂષોને તેમની અંદરનો કેયરિંગ એટીટ્યુડ પસંદ આવતો હોય છે.
3- હોર્મોન્સમાં બદલાવ થવો…
લગ્ન બાદ મહિલાઓના હોર્મન્સમાં પરિવર્તન આવતો હોય છે. જેના કારણે તેમની સ્કિન ઘણી જ ગ્લો થઇ જાય છે. મહિલાઓમાં આવેલો આ બદલાવ પુરૂષોને પોતાની તરફ આકર્ષિત કરતો હોય છે.
4- મીઠો સ્વભાવ હોવો…
લગ્ન કરેલી મહિલાઓ ઘર અને બહાર સારી રીતે મેનેજ કરી શકતી હોય છે. તેમના ચહેરા પર હંમેશાથી હાસ્ય હોય છે. જે બનાવી રાખવામાં તેમની પાસે નિપુણતા પણ હોય છે. ખુશમિજાજ માણસની સાથે તો કોઇને પણ રહેવું ગમે છે. છોકરાઓને મહિલાઓમાં આ વાત જ પસંદ આવતી હોય છે.