મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું.પરીવારમાં સુખ જાળવી રાખવાના કામમાં સૌથી મોટું યોગદાન ગૃહિણીનું હોય છે. જ્યારે સ્ત્રીઓ ક્યારેક ક્યારેક નાની મોટી ભુલ કરી જાય છે તો તેની અસર પણ ઘર પર થાય છે. સ્ત્રીના હાથે થતી ભુલ ઘરના સુખને દૂર કરી નાખે છે. એટલા માટે જ એવા કેટલાક વિધાન સ્ત્રીઓ માટે કરવામાં આવ્યા છે જેની મનાઈ કરવામાં આવી છે. મહિલાઓના હાથમાં જ ઘરની સુખ-શાંતિ હોય છે. હિંદૂ ધર્મમાં કહેવામાં આવ્યું છે કે સ્ત્રીઓએ કેટલાક કામો રાત્રે ક્યારેય ન કરવા જોઈએ. આ કામ કરવાથી ઘરમાંથી રિદ્ધિ-સિદ્ધિ જતી રહે છે.
દરેક લોકો એવી ઈચ્છા રાખતા હોય છે કે તેમની પાસે અઢળક ધન અને સંપત્તિ હોય અને તે પોતાનુ જીવન સુખ-શાંતિથી પસાર કરી શકે. જો તમે ગરીબીમાથી પસાર થઇને જયારે ધનવાન થાવ છો તો ત્યારે તમને ખુબ જ હર્ષની લાગણી થશે. પરંતુ, જો તમે ધન્વાનમાંથી ગરીબ બની જાઓ તો તમે માનસિક તણાવ હેઠળ ચાલ્યા જાવ. દરેક વ્યક્તિ આ પીડાને સહન કરી શકતો નથી.
વધુમા વધુ ધન મેળવવા માટે લોકો રાત-દિવસ ખુબજ પરિશ્રમ કરતા હોય છે પરંતુ, તેમછતા અથાગ પરિશ્રમ બાદ પણ ઘણીવાર ઘરમા ગરીબી આટો લઇ જાતી હોય છે, જો તમારી સાથે પણ આવુ થઇ રહ્યુ છે તો સમજી લો કે ક્યાક આ પાછળ તમારુ ભાગ્ય તો જવાબદાર નથી ને? ઘણીવાર અપશુકન થવાથી ખરાબ સમયનો સાથ આવી પડે. જો તમારે તમારા દુર્ભાગ્યથી પીછો છોડાવવો છે તો આજે આ લેખમા દર્શાવવામા આવેલી બાબતોનુ યોગ્ય રીતે પાલન કરો.
ક્યારેય પણ રાત્રે સુતા પહેલા કોઈનુ દિલ દુખે તેવી વાત ના કરશો. જો ભૂલથી ક્યારેય કોઈને દુ:ખ પહોંચાડ્યુ હોય તો આવી સ્થિતિમા તેમની માફી માગી લો કારણકે, તે તમારી પ્રગતિ અને આર્થિક સ્થિતિ માટે જોખમ ઉભુ કરી શકે છે. હમેંશા એવો પ્રયત્ન રાખવો કે, તમારા કારણે કોઈનુ દિલ દુભાય નહી.
આ ઉપરાંત રાત્રે ક્યારેય પણ પૂજાઘરના દરવાજા ખુલ્લા ના રાખવા. રાત્રીના સમયે મંદિરને પડદાથી કે કોઇ સ્વચ્છ કપડાથી ઢાંકીને સુઈ જવુ કારણકે, પ્રભુ રાત્રે આરામ કરે છે અને બીજા દિવસે આપણી સંપૂર્ણ સંભાળ રાખે છે. જો તમે આ ના કરો તો રાત્રે તેમને આરામ કરવામા અવરોધો આવી શકે છે. તેથી, રાત્રે સૂતા પહેલા ભગવાનના મંદિરના દરવાજા ખુલ્લા રાખવાની ભૂલ ક્યારેય પણ ના કરાવી. આવુ કરવાથી ઘરમા દુર્ભાગ્યનુ આગમન થઇ શકે છે.
આ સિવાય રાત્રે ક્યારેય પણ એઠવાડવાળા વાસણ ના રાખવા કારણકે, આમ કરવાથી માતા લક્ષ્મી ક્રોધિત થઇ જાય છે અને આપણે આર્થિક નાણાભીડ નો સામનો કરવો પડી શકે છે. આ એઠવાડવાળા વાસણો રાત્રીના રસોઈઘરમા નકારાત્મક ઉર્જાને ફેલાવે છે અને આ નકારાત્મક ઉર્જાને કારણે માતા લક્ષ્મી ક્રોધિત થઈને આપણા ઘરમાંથી ચાલ્યા જાય છે. માતા લક્ષ્મી સકારાત્મક ઉર્જાવાળા વાતાવરણને પસંદ કરે છે. માટે રાત્રે સૂતા પહેલા બધા જ એઠા વાસણો સાફ કરો. જો તમે આ બાબતોનું ધ્યાન રાખશો તો તમારી આર્થિક સ્થિતિમાં ક્યારેય ઘટાડો થશે નહીં.રાતના સમયે પરીવારના સભ્ય સિવાય અન્ય કોઈ અજાણી વ્યક્તિ દૂધ-દહીં માંગે તો તેને ન આપવું. રાતના સમયે ઘરમાંથી દૂધ બહાર જશે તો તેની સાથે સુખ-શાંતિ પણ જતી રહેશે.મહિલાઓએ પોતાના વાળ ખુલ્લા રાખીને સુવું ન જોઈએ. આમ કરવાથી નકારાત્મક ઉર્જા વધવા લાગશે અને ઘરના સભ્યો સાથેના સંબંધોમાં ક્લેશ વધશે.
કેટલીક સ્ત્રીઓને સતત તેમના વાળ પર હાથ ફેરવવાની ટેવ હોય છે. વાસ્તુના જણાવ્યા પ્રમાણે આ કામ કરવાથી મનમાં સકારાત્મક કંપનો દૂર થાય છે. હા, જે વ્યક્તિઓ કેશ ઉપર વધુ હાથ ફેરવે છે તે બીજાઓની સરખામણીમાં ઓછું કામ કરે છે.જે સ્ત્રીઓને વાળમાં કાંસકો કરવાની આદત હોતી નથી તેમનું ઘર હંમેશા કેશની જેમ વેરવિખેર રહે છે. વાસ્તુ મુજબ હંમેશા આવા ઘરોમાં ઝઘડો રહે છે. જ્યોતિષવિદ્યાના વિદ્વાનો કહે છે કે જે સ્ત્રીઓ કેશને કાંસકો કરતી નથી. તેમનું મન હંમેશા વિક્ષેપિત રહે છે. આટલું જ નહીં, કોમ્બિંગ કર્યા પછી, સ્ત્રીઓએ કેશને કચરાપેટી અથવા યોગ્ય જગ્યાએ ફેંકી દેવા જોઈએ.
સ્ત્રીઓએ સૂર્યાસ્ત પછી ક્યારેય કેશ ખુલ્લા રાખવા અથવા ધોવા જોઈએ નહીં. જો તમે આ નિયમનું પાલન કરો છો, તો તમારા ઘરમાં સુખ અને શાંતિ કાયમ રહે છે. તમારા કેશને અવારનવાર સ્પર્શશો નહીં. ખાસ કરીને જ્યારે તમે રસોઈ કરો ત્યારે તો નહીં. જ્યારે પણ તમે કેશમાં કાંસકો કરો ત્યારે નીચે પડેલા કેશને ઉપાડો અને તરત જ તેને કચરાપેટીમાં નાખો.
ઘરમાં એક વખત ઝાડૂ ગૃહિણીએ કાઢવું જોઈએ. ઉપરાંત જે ઝાડૂથી કચરો વાળતાં હોય તેને ઘરની બહાર ન રાખવું. ઝાડૂને ઘરની દક્ષિણ દિશામાં રાખવું જોઈએ. શાસ્ત્રો અનુસાર ઝાડૂમાં મહાલક્ષ્મીનો વાસ હોય છે તેને ઘરની બહાર મુકી દેવું ન જોઈએ.રાત્રિના સમયે સ્ત્રીઓએ માથા પાસે પાણીની બોટલ કે ગ્લાસ ભરીને ન રાખવા જોઈએ. આમ કરવાથી ઘરમાં બીમારીનો વાસ થાય છે