વિદેશોથી લઇને ભારતીય ફિલ્મ જગતમાં પણ એ કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે જ્યાં છોકરાઓ લગ્ન કરેલી યુવતીઓના પ્રેમમાં પડતા હોય. જે એક પ્રકારે અસામાન્ય ઘટના લાગે છે. કોઇ પણ વ્યક્તિને આ સાંભળી થોડુ અટપટુ અચૂક લાગશે. આજે એવા ઘણા ઉદાહરણ આપીણી સામે છે કે લગ્ન કરેલી યુવતીઓના પ્રેમમાં છોકરાઓ ખૂબ પડતા હોય છે. હાલમાં જ એક સંશોધન થકી બહાર પડેલા અહેવાલમાં આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. આ શોધમાં કારણ જણાવવામાં આવ્યું છે કે શા માટે છોકરાઓ લગ્ન કરેલી સ્ત્રીઓના પ્રેમમાં પડતા હોય છે.
લગ્ન કરેલી સ્ત્રીઓ લગ્ન ન કરેલી યુવતીઓના મુકાબલે આત્મવિશ્વાસથી સભર હોય છે. તેમનો આ આત્મવિશ્વાસ છોકરાઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. પુરૂષોને લાગે છે કે લગ્ન કરેલી મહિલાઓ તમામ સમસ્યાઓની સામે સારી રીતે લડી શકશે.
હોર્મોન્સમાં બદલાવ,લગ્ન બાદ મહિલાઓના હોર્મન્સમાં પરિવર્તન આવે છે. જેના કારણે તેમની સ્કિન ઘણી જ ગ્લો થઇ જાય છે. મહિલાઓમાં આવેલો આ બદલાવ પુરૂષોને પોતાની તરફ આકર્ષિત કરે છે.મીઠો સ્વભાવ,લગ્ન કરેલી મહિલાઓ ઘર અને બહાર સારી રીતે મેનેજ કરી શકે છે. તેમના ચહેરા પર હંમેશાથી હાસ્ય હોય છે. જે બનાવી રાખવામાં તેમની પાસે નિપુણતા હોય છે. ખુશમિજાજ માણસની સાથે તો કોઇને પણ રહેવું ગમે. છોકરાઓને મહિલાઓમાં આ વાત જ પસંદ આવે છે.
તેમના જીવનસાથી તરફથી પ્રેમ અને સમયના અભાવને લીધે, સ્ત્રીઓ તેમના સંબંધોથી કંટાળી જાય છે. જેના કારણે જ્યારે અન્ય વ્યક્તિ તેમના તરફ ધ્યાન આપે છે, ત્યારે તેઓ તેમની તરફ આકર્ષે છે. જેના કારણે ગેરકાયદેસર પ્રેમ સંબંધો રચાય છે. કોઈપણ સંબંધની તાકાત તેના ભાવનાત્મક પાસા પર આધારિત છે. જો કોઈ વ્યક્તિ તેની પત્નીને સમય આપતો નથી અથવા તેની પત્ની સાથે યોગ્ય રીતે વાત ન કરે તો સંબંધમાં ગમે ત્યાંથી ભાવનાત્મક જોડાણ ન હોય, તો તે દુઃખી થાય એ પાક્કી વાત છે.
લગ્ન કરેલી મહિલાઓ વધારે પડતી કેર કરનારી હોય છે. લગ્ન બાદ પરિવારની ચિંતા તેમની અંદર જન્મ લે છે. જેના કારણે પુરૂષોને તેમની અંદરનો કેયરિંગ એટીટ્યુડ પસંદ આવે છે.