પ્રશ્ન : મારો નાનો ભાઈ 48 વર્ષનો છે અને તેને 10 દિવસ પહેલાં હાર્ટ એટેક આવ્યો હતો. ડોક્ટરના મત પ્રમાણે તેને સર્જરીની જરૂર નથી મેડિકેશન ચાલુ છે. હાર્ટ એટેક પહેલા તે ખૂબ એક્ટિવ રહેતો હતો. શું તે ફરીથી પહેલાંની જેમ એક્ટિવ બની શકશે કે નહીં? એની રિકવરી સારી થાય એ માટે અમે શું કરી શકીએ? -એક પુરુષ(વલસાડ)
ઉત્તર : હાર્ટ એટેક પછીની રિકવરી એ ખૂબ મહત્ત્વની બાબત છે. જોકે એ માટે કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે. હાર્ટ એટેક પહેલાં તમે જેટલા એક્ટિવ હતા એટલી જ એક્ટિવિટી હાર્ટ એટેક પછી પણ ચાલુ રહે એ જરૂરી છે.
ડોક્ટરે તમને જે દવાઓ આપી છે એ સમયસર અને નિયમિતપણે લેવી જરૂરી છે. આ સિવાય ધીમે-ધીમે વોક કરવાનું શરૂ કરવું જોઇએ. શરૂઆતમાં તમે ચાલો એટલે શ્વાસ ફૂલે, પણ જરૂરી નથી કે એનાથી તમે ગભરાઈ જાઓ.
શ્વાસ ફૂલવો સામાન્ય છે, પરંતુ શરીરને ફરીથી ચાલતું -ફરતું કરવું પણ એટલું જ જરૂરી છે. પહેલા દિવસે પાંચ મિનિટ ચાલો, પછી 10 મિનિટ અને પછી 15 મિનિટ. આમ, ધીમે-ધીમી ક્ષમતા તમારે પોતે જ વધારવાની છે. બીજું છે પ્રાણાયામ. અત્યંત જરૂરી છે કે તમે તમારા શ્વાસની સ્ટ્રેન્થ વધારો.
આ સિવાય હોસ્પિટલમાંથી જે ડાયટ પ્લાન મળ્યો એ મુજબ જ આહાર રાખવો. તેલ અને ઘીનું પ્રમાણ ઓછું રાખવું, મીઠું અને ખાંડ પણ એકદમ ઓછાં રાખવાં. બહારનું તળેલું, બેકરી ફૂડ, પેકેટ ફૂડ વગેરે ન ખાવાં.
રિકવરીમાં એક વસ્તુ અત્યંત મહત્ત્વની છે જેના વિશે ખૂબ ઓછા લોકો ધ્યાન રાખે છે અને એ છે મેન્ટલ રિકવરી. હાર્ટ એટેક આવે ત્યારે વ્યક્તિ પડી ભાંગે છે. અમુક લોકોને માઇલ્ડ ડિપ્રેશન પણ આવી જાય છે. તેમને આમાંથી બહાર કાઢવા જરૂરી છે. આ બાબતો પર ધ્યાન રાખવાથી રિકવરી સારી આવશે.
પ્રશ્ન : હું 26 વર્ષનો છું અને થોડા સમય પેહલા મારા લગ્ન થયા, હું એ જાણવા માંગુ છું કે હું મારી પત્ની જોડ ક્યાં ક્યાં દિવસે કોન્ડોમ વગર સમાગમ માની શકું છું કેમકે અમે હજુ પ્રેગ્નન્સી રાખવા માટે તૈયાર નથી. -એક યુવક
ઉત્તર : ૨૮ દિવસની એ પિરિયડ હોય છે. પિરિયડ પત્યા ના પહેલાં દિવસથી સાતમાં દિવસ સુધીનો પિરિયડ સેફ ગણાઈ છે અને એ પછી ૧૮માં દિવસથી ૨૮માં દિવસ સુધીનો પિરિયડ પણ અંગત પળો માણવા માટે પ્રમાણ સેફ ગણવામાં આવતો હોય છે. જોકે, આ કંઈ ફુલપ્રૂફ નથી હોતું. આ પિરિયડ દરમિયાન અંગત પળો માણવાથી પણ ક્યારેક બાળક રહી શકે છે. જોકે, પ્રોટેક્શન નો ઉપયોગ કરવાનો પણ ઓપ્શન તો છે જ.
પ્રશ્ન : મારા લગ્ન ને 6 વર્ષ થયાં છે મારા પતિ મને સંતાન સુખ આપી શકતા નથી અમે ઘણા બધા ડોકટરો ની વિજિટ પણ લીધી છે છતાં મને સંતાન સુખ ની પ્રાપ્તિ થઈ નથી અમારા નજીક મારા રેહતા એક પુરુષ સાથે મને શરીર સંબંધ છે પરંતુ જો હું તેની પાસે થી સંતાન સુખ મેળવું તો મારા પતિ ને ખબર પડી જાય તો હવે મારે શું કરવું