પ્રશ્ન : મારી ઉંમર ૨૪ વર્ષ છે, જ્યારે મારા પ્રેમીની ઉંમર ૨૩ વર્ષ છે. તે મારાથી એક વર્ષ નાનો છે. અમે એકબીજા સાથે લગ્ન કરવા માંગીએ છીએ, પણ અમારી જ્ઞાતિ અલગ હોવાથી છોકરાના પરિવારના સભ્યો માનતા નથી.
મારાં માતા-પિતા આ વાત માટે તૈયાર છે, તેઓ મને કહે છે કે હું અલગ જ્ઞાતિમાં લગ્ન કરું તો તેમને કોઇ તકલીફ નથી પણ છોકરાના પિતા અને પરિવાર આ વાત માટે તૈયાર નથી. છોકરાએ તેના ઘરે મનાવવાના ઘણાં પ્રયત્ન કર્યા છે, પરંતુ તેના પિતા હ્ય્દયરોગના દર્દી હોવાને કારણે એક લિમિટથી વધારે મનાવી શકાય તેમ પણ નથી. અમારે એકબીજા સાથે જ લગ્ન કરવાં છે. મને જણાવશો કે અમારે શું કરવું જોઇએ.
જવાબ : જો તમે બંને એકબીજા સાથે જ લગ્ન કરવાં માંગતાં હોવ તો તમે છોકરાની માતાને સમજાવો અને તેમને જણાવો કે તમે પરિવાર વિશે વિચારો છો, એટલે જ કોઇ આડુંઅવળું પગલું લેવા નથી માંગતાં અને પરિવારની મરજીથી જ લગ્ન કરવા માંગીએ છીએ. છોકરાની માતાને એમ પણ સમજાવો કે પરાણે ન ગમતી કોઇ વ્યક્તિ સાથે લગ્ન કરીને આખું જીવન દુઃખી થવાને બદલે સાચું એ જ છે કે ગમતી વ્યક્તિ સાથે જ લગ્ન કરી આપે.
અને તેમ પણ જણાવો કે છોકરાને તેના પિતાની ચિંતા છે એટલે જ કોઇ ખોટું પગલું નથી ભરતો અને શાંતિથી તેમને મનાવવાનો પ્રયત્ન કરે છે. જરૂર પડે છોકરાના પિતાની નજીકની કોઇ વ્યક્તિની સહાય લો કે જે તેમને મનાવી શકે. અહીં ખોટું પગલું ભરવાને બદલે સમજાવટથી જ વાત પતાવવી જોઈએ.
પ્રશ્ન : મારી ઉંમર ૨૦ વર્ષ છે. મારે માસિક ઘણું જ અનિયમિત છે. આ માટે મેં ડોક્ટરને બતાવીને દવા પણ શરૂ કરી હતી. ૬ મહિના મેં દવા લીધી ત્યારે માસિક નિયમિત આવ્યું અને જેવી દવા બંધ કરી કે તરત અનિયમિત થઇ ગયું. હાલ તે ત્રણ મહિનાના અંતરે આવે છે. તમે જણાવશો કે આ વિશે મારે આગળ શું કરવું જોઇએ ?
જવાબ :તમને એ પૂછવા માંગું છું કે શું તમે જે ડોક્ટર પાસેથી દવા લેતાં હતાં તેમણે તમને દવા બંધ કરવા જણાવ્યું હતું? દવા બંધ કરવી એ તમારો પોતાનો નિર્ણય હતો કે ડોક્ટરની સલાહ હતી? કારણ કે મોટાભાગની સ્ત્રીઓ કે જેમને આ તકલીફ હોય તેઓ દવા શરૂ કરે અને માસિક જેવું નિયમિત થાય કે તરત દવા લેવાનું સ્વેચ્છાએ બંધ કરી દે છે.
તેઓ આખો કોર્સ પૂરો નથી કરતા. જો તમે એવું કર્યું હોય તો તમારે ડોક્ટરની સલાહ લઇને ફરીથી દવા શરૂ કરી દેવી જોઇએ. બીજી વાત કે આ તકલીફ અંગે ડોક્ટરને બતાવવા જાવ ત્યારે જાણી લો કે આવું કયા કારણસર થયું. જો તમે શરીરે નબળા હોવ તો પણ આવું થવું શક્ય છે. આની પાછળ ઘણાં કારણો જવાબદાર હોય છે, તેથી શારીરિક તપાસ કરાવડાવીને સચોટ કારણ મેળવવું જરૂરી છે.
પ્રશ્ન : હું 34 વર્ષની છું, અમારા લગ્ન 12 વર્ષ પહેલા થયા હતા. મારા પતિ મને ખુબજ પ્રેમ કરે છે. હું મારી લાઈફ માં ખુબજ ખુશ છું. હવે અમારે સંતાન જોઈતું છે અમે છેલ્લા 4 વર્ષ થી પ્રયત્ન કરીએ છીએ પણ મારા પતિ મને સંતાન સુખ આપવા માં સક્ષમ નથી. શું હું મારા ભત્રીજા સાથે શરીર સુખ માણી ને તેના સંતાન ની માતા બની શકું મને યોગ્ય સલાહ આપવા વિંનતી…