મોરારી બાપુ એ કોરોનાને લઈને ચિંતા વ્યક્ત કરી, જાણો કોરોનાની સ્થિતિ માં મોરારી બાપુ આ શું કહ્યું.?

ધાર્મિક

મોરારી બાપુએ રામકથા દરમિયાન કોરોનાની સ્થિતિને લઈને ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, છાપામાં દરરોજ અહેવાલો આવે છે, હાલમાં લોકોને હોસ્પિટલમાં ઓક્સિજનની અછત છે.

તો આ એવા પણ સમાચારો આવે છે કે, ઓક્સિજન-ઇન્જેક્શનની કાળાબજારી થઇ રહી છે. આ બધી જ સ્થિતિ ખરેખર ચિંતાજનક છે. મોરારી બાપુએ ઓક્સિજન વિશેનો રિપોર્ટ ટાંકતા જણાવ્યું હતું કે, આપણે દરરોજ ત્રણ સિલિન્ડર જેટલો ઓક્સિજન ઇશ્વર પાસેથી મફતમાં લઈએ છીએ.

જો એક સિલિન્ડરની કિંમત 700 રૂપિયા હોય તો દરરોજના ત્રણ લેખે 2100 રૂપિયાનો ઓક્સિજન આપણે મફતમાં લઈએ છીએ. તો વર્ષની ગણતરી કરીએ તો સમગ્ર વર્ષ દરમિયાન આપણે 7,66,500 રૂપિયા થાય. આ હિસાબે જો એક વ્યક્તિને 65 વર્ષ જીવવા માટે ઓક્સિજનની જરૂર પડે તો આપણે 5 કરોડ રૂપિયાનો ઓક્સિજન લઈએ છીએ. આ પ્રાણવાયુ વૃક્ષો આપે છે માટે, જો આપણે જીવવું હોય તો વૃક્ષોને જીવાડીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *