અત્યારે નિઃસંતાન પતિ પત્ની સંતાન પ્રાપ્તી માટે દોરા-ધાગા, તાં-ત્રિકો અને ડોક્ટોરનો પણ સહારો લેતા હોય છે. પરંતુ એક હરિયાણાની મહિલાએ વંશ વધારવા માટે હાઇકોર્ટનો સહારો લીધો છે. મહિલાને વંશ વધારવા માટે સંતાન જોઈએ છે પરંતુ મહિલાના કરમ ખઠનાઈ એવી છે કે મહિલાનો પતિ જે-લમાં બંધ છે. હરિયાણાના ગુરુગ્રામની આ મહિલાએ પોતાના પતિથી સંતાન પ્રાપ્તી થાય તે માટે શ-રીર સં-બંધ બાંધવા માટેની મંજૂરી આપતી અરજી હાઈકોર્ટમાં કરી છે.
અરજીમાં મહિલાએ જે-લમાં બંધ પોતાના પતિ સાથે શ-રીર સં-બંધ બાંધવા માટે મંજૂરી માંગી છે. અરજીમાં મહિલાએ દલીલ કરી છે કે જે-લમાં બંધ માણસને વંશ વધારવા માટે ન રોકી શકાય. જોકે, આ અંગે હાઇકોર્ટે હરિયાણાના ગૃહ વિભાગ પાસેથી જવાબ માંગ્યો છે. જોકે, મહિલાની આ અરજી ચર્ચાનો વિષય બની છે.
અરજદાર મહિલાએ કહ્યું કે તેના પતિને ગુરુગ્રામ કોર્ટે હત્યા અને અન્ય ગુ-ના માટે દો-ષિત ઠેરવ્યા છે. પતિ 2018થી ડિસ્ટ્રિક્ટ જે-લમાં બંધ છે. પત્નીએ પોતાની અરજીમાં કહ્યું હતું કે તેને એક બાળક જોઈએ છે અને તે તેના પતિ સાથે સં-બંધ બાં-ધવા માંગે છે.
અરજદાર મહિલાના વકીલે કહ્યું કે સ્ત્રીને માનવ અધિકાર હેઠળ વારસો મેળવવાનો અધિકાર છે. અરજદારે દલીલ કરી હતી કે શું બંધારણની કલમ 21 હેઠળ તેને જીવન અને વ્યક્તિગત સ્વાતંત્ર્યનો અધિકાર છે?
માનવામાં આવી રહ્યું છે, હાઈકોર્ટે જસવીરસિંહ બનામ પંજાબ રાજ્યના એક કેસનો નિકાલ કરતી વખતે સરકારને પરિવાર માટે કે-દીઓ સાથે પત્નીના સં-બંધ અંગે નીતિ ઘડવા કહ્યું હતું. કોર્ટે હરિયાણાના એડિશનલ એડવોકેટ જનરલને પૂછ્યું કે શું જસવીરસિંહ કેસમાં હાઇકોર્ટના આદેશ પર રાજ્ય સરકારે આવી કોઈ નીતિ ઘડી છે?