અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદ પડશે, ચોમાસું ગુજરાતની સીમા સુધી પહોંચ્યું..

અન્ય

રાજ્યના કેટલાક વિસ્તારમાં 11થી 13 જુન વચ્ચે નૈઋત્યના ચોમાસાનું આગમન થવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગે અગાઉ 20 જુન વચ્ચે નૈઋત્યનું ચોમાસાના આગમનની આગાહી કરવામાં આવી હતી. ત્યારે અત્યારથી જ રાજ્યના કેટલાક જિલ્લામાં પ્રિ-મોનસૂન એક્ટિવિટિનો પણ પ્રારંભ થઈ ચુક્યો છે.

અંબાલાલ પટેલ ની અનુસાર બંગાળી ઉત્તર ખાડી અને તેની આસપાસ 11 જુનના રોજ લો પ્રેશર સર્જાશે. 10 જુનથી અરેબિયન સાગરમાં દક્ષિણ પશ્ચિમ દિશાના પવન વધુ તે ગતિએ ફુંકાશે. આ સ્થિતિને પગલે નૈઋત્યનું ચોમાસાનું રાજ્યના કેટલાક હિસ્સામાં 11થી 13 જુન વચ્ચે આગમન થઈ શકે છે. ગુજરાતમાં સામાન્ય રીતે 20 જુનની આસપાસ ચોમાસાનું આગમન થતુ હોય છે. જેના સ્થાને આ વખતે ચોમાસાનું વહેલુ આગમન થઈ શકે છે.

ગઈકાલે ગુજરાતનાં 45 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. મહેસાણાના કડીમાં 2.7 ઈંચ વરસાદ, નવસારીના વાંસદામાં 2.6 ઈંચ, અમરેલીના સાવરકુંડલામાં 1.6 ઈંચ, સુરતના માંડવીમા 1.5 ઈંચ, મોરબીના વાંકાનેરમાં 1.5 ઈંચ, ડાંગના વઘઈમાં 1 ઈંચ વરસાદ, મહેસાણાના કડીમાં 2.7 ઈંચ વરસાદ, નવસારીના વાંસદામાં 2.6 ઈંચ, અમરેલીના સાવરકુંડલામાં 1.6 ઈંચ, સુરતના માંડવીમા 1.5 ઈંચ, મોરબીના વાંકાનેરમાં 1.5 ઈંચ અને ડાંગના વઘઈમાં 1 ઈંચ વરસાદ પડ્યો હતો.

ગઈકાલે નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં વાતાવરણમાં અત્યારે આવ્યો પલટો આવ્યો છે. કાળા ડિબાંગ વાદળો વચ્ચે ચીખલી અને આસપાસના વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા હતા. વરસાદી છાંટા પડતાં અસહ્ય બફારાથી લોકોને રાહત મળી છે.

ગઈકાલે સુરતમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે. સુરતના અઠવા, મજુરા,પારલે પોઇન્ટ,અડાજણ પાલ વિસ્તારમાં હળવો વરસાદ પડ્યો હતો. જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. રાત્રે બફારાનો અનુભવ, સવારે ઠંડક છે. આજે 7 જૂનના રોજ અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે.

નોંધનીય છે કે, આ વર્ષે સામાન્ય કરતા ચોમાસાનું આગમન થોડુ મોડુ થયું છે. ત્યારે અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરતા જણાવ્યું કે આ વર્ષે ચોમાસુ ખેડૂતો માટે મદદગાર સાબિત થઈ શકે છે. અંબાલાલ પટેલ ના જણાવ્યા અનુસાર દક્ષિણ-પશ્ચિમ મોનસૂનને કારણે ઉત્તર અને દક્ષિણ ભારતમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. અંબાલાલ પટેલ અનુસાર જુનમાં વરસાદ સામાન્ય રહેશે. આ દરમિયાન ખેડૂતો વાવેતર કરી શકે છે. આ વર્ષે જુનથી સપ્ટેમ્બર સુધી દેશમાં લગભગ 101 ટકા વરસાદ વરસી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *