સવાલ :હું એક બિઝનેસ ક્લાસ ફેમિલીનું બેકગ્રાઉન્ડ ધરાવું છું અને જ્યાં મહિલાઓ પાસે માત્ર ઘર અને પરિવારની સારસંભાળ રાખવાની અપેક્ષા કરવામાં આવતી હોય છે. ગ્રેજ્યુએશન કર્યા પછી હું અન્ય એક બિઝનેસ-ક્લાસ ફેમિલીમાં પરણી અને બધું બરાબર જ ચાલી રહ્યું હતું,
સમય જતા મને ખબર પડી હતી કે, મારી સાસરીના પુરુષો તેમની પત્નીઓની જરાય રિસ્પેક્ટ કરતા જ નથી અને તેમાથી કેટલાકને લગ્નેત્તર સંબંધો પણ છે. ચોંકવનારી વાત એ છે કે, તેમની પત્નીઓ પણ આ વિશે બધી ખબર છે અને તેમણે સ્થિતિને અપનાવી પણ લીધી છે.
છ મહિના પહેલા મેં મારા પતિને ઑફિસમાં તેમની એક જૂનિયર કર્મચારી સાથે ઈન્ટિમેટ થયા જોયા હતાં તે ઘરે આવ્યા અને જાણે કંઈ જ ન થયું હોય તેવો દેખાડો કરવા લાગ્યા હતા અને હું રડતી હતી.
જ્યારે મેં તેમને આ અંગે ફરિયાદ કરી હતી તો તેમણે મને પણ બહાર સંબંધો બનાવવા માટે છૂટ આપી હતી. શું તમને લાગે છે કે, હું તેમની માનસિકતા બદલી શકું છું અને સંબંધોમાં વફાદારીનો મતલબ સમજાવી શકું છું .
જવાબ : કેટલાક પરિવાર-સમાજમાં અરેન્જ મેરેજનું ચલણ હોય છે અને ત્યાં સ્ત્રીઓ માત્ર ઘર-પરિવારની સંભાળ રાખે તેવું માનવામાં આવતુ હોય છે. દરેક લગ્નજીવનમાં પરસ્પર એક આગવી સમજ પણ હોય છે. હું સમજું છું કે, તમે એક બિઝનેસ ક્લાસ ફેમિલીમાંથી આવો છો અને તેવા જ પરિવારમાં પરણ્યા પણ છો
જ્યાં મહિલાઓને એક ચોક્કસ પ્રકારની શૈલીમાં જીવવાનું હોય છે. તમારા માટે ફેમિલિમાં પુરુષોનું મહિલાઓ પ્રત્યેનું વર્તન પણ એક પડકાર સમાન જ હશે. તમારા પરિવારની સ્ત્રીઓ તેમના પતિઓના આડા સંબંધો જાણતી હોવા છતા પણ સ્થિતિને સ્વીકારી સમાધાન કરી રહી છે તે ચોંકવનારી બાબત છે.
તમારી હાલની સ્થિતિમાં તમે કાં તો તમારા લગ્નજીવનને સુધારવા માટે કામ કરી શકો છો અથવા જો કોઈ મૂલ્યો સચવાતા ન દેખાતા હોય તો તેમાંથી બહાર પણ નીકળી શકો છો. બંને નિર્ણયોના પોતાના આગવા પરિણામો અને પડકારો હોઈ છે જેના માટે તમારે માનસિક રીતે તૈયાર રહેવું જ પડશે.