જો તમારા લગ્ન થઈ ચુક્યાં છે તો ભૂલથી પણ ન કરો આ ભૂલ નહીં તો…

અન્ય

પૈસાથી જોડાયેલી બાબત : જ્યારે તમે રિલેશનશિપમાં હોવ છો, તો જરૂરી નથી હોતું કે તમે તમારી સાથીને તમારા પગાર, તમારા ખર્ચ વગેરે પૈસાથી જોડાયેલી વસ્તુ વિશે જણાવો. આ જ વસ્તુ તમારા ઘર પર પણ બની શકે છે કે તમે કોઈને ન જણાવતા હોય. પરંતુ જ્યારે તમારા લગ્ન થઈ જાય છે તો તમારે તમારી જીવનસાથીને તમારા પગાર, પૈસા,ખર્ચ, મહિનાનું બજેટ વગેરે વિશે જણાવાનો અધિકાર હોય છે, એવામાં તમારે પૈસાથી જોડાયેલા નિર્ણય તમારી જીવનસાથી સાથે મળીને કરવા જોઈએ.

ભવિષ્યની યોજના : જ્યારે તમે કોઈ સાથે રિલેશનમાં હોવ છો તમારા સ્વયં વિશે વિચારો છો, તમારૂ ભવિષ્ય, તમારૂ કરિયરની યોજના કરો છો. પરંતુ જ્યારે તમારા લગ્ન થઈ જાય છે તો એકથી બે થઈ જાવ છો. એવામાં તમારે જે પણ ભવિષ્યનું આયોજન કરવાનું હોય છે, તમારા બાળકને લઈને, બાળકના અભ્યાસને લઈને વગેરે જે પણ યોજના કરવાની હોય છે તે જીવનસાથી સાથે મળીને જ કરવી જોઈએ. તમારી યોજનામાં તમારી જીવનસાથીનું પણ યોગદાન હોવું જોઈએ.

ગોપનીયતા એક મર્યાદા સુધી : આપણે આપણાં જીવનમાં ગોપનીયતા રાખવી જોઈએ, પરંતુ જ્યારે તમે કોઈ સાથે રિલેશનશિપમાં હોવ તો તમારે સંપૂર્ણ રીતે ગોપનીયતા રાખવી જોઈએ. જ્યારે તમારા લગ્ન થઈ ગયાં છે તો તમારી જીવનસાથીનો એ અધિકાર હોય છે તે પણ જાણે કે તમારા જીવનમાં શું ચાલી રહ્યું છે. જો તમે ગોપનીયતા રાખો છો, તો તેને એક હદ સુધી રાખવી જોઈએ, કારણ કે જો તમે પરિણત જીવનમાં વધું ગોપનીયતા રાખો છો તો આથી શંકા વધી શકે છે.

નિર્ણય લેતા સમય : આ વાત બની શકે છે તમે લગ્ન પહેલા તમારા જીવન વિશે કે કોઈ અન્ય વસ્તુને લઈને નિર્ણય પોતે લેતા હતાં, પરંતુ જ્યારે તમારા લગ્ન થઈ જાય છે, તો તમારા જીવનની ડોર કોઈ અન્ય સાથે બંધાય જાય છે. એવામાં તમે જ્યારે પણ કોઈ નિર્યણ લો છો તો તેમાં તમારી જીવનસાથીનો અભિપ્રાય પણ અત્યંત જરૂરી હોય છે. આથી તમારા સંબંધ શ્રેષ્ઠ બને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *