શ્રી કૃષ્ણની ભવિષ્યવાણી મુજબ કળિયુગના અંતે કેવો હશે સ્ત્રીઓનો ચરિત્ર ? જાણો આવનારા ભયંકર દિવસો વિશે

અન્ય

આપણા શાસ્ત્રોમાં ચાર યુગનું વર્ણન કરવામાં આવ્યું છે. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ. તેમાંથી હાલ કળિયુગ ચાલી રહ્યો છે. દ્વાપર યુગમાં મહાભારતનું યુદ્ધ પૂરુ થયા બાદ ભગવાન શ્રીકૃષ્ણ દ્વારિકા નગરી પરત આવી ગયા હતા. બાદમાં તેઓ થોડા સમય માટે દ્વારિકામાં રહ્યા અને વૈકુંઠ ધામ પરત ફર્યા હતા. એવું કહેવામાં આવે છે કે, કળિયુગની શરૂઆત 3102 ઇસાપૂર્વ થઈ હતી, એટલે કે લગભગ 5 હજાર વર્ષ પહેલા કળિયુગની શરૂઆત થઈ હતી.

શાસ્ત્રો અનુસાર ચાર યુગમાં કળિયુગનું આયુષ્ય સૌથી ઓછું એટલે કે 4,32,000 વર્ષ છે. હાલ કળિયુગનું આયુષ્ય લગભગ 5 હજાર વર્ષ જેટલું થયું છે, એટલે કે હજુ કળિયુગ પુરો થવામાં 4,27,000 વર્ષ બાકી છે. હાલ કળિયુગ તેના પ્રથમ ચરણમાં છે. કળિયુગના અંત એટલો ભયજનક છે કે, જેની આપણે કલ્પના પણ ના કરી શકીએ.

કળિયુગના અંતનો સમય નિકટ આવશે ત્યારે માનવીનું આયુષ્ય ફકત 20 વર્ષ જેટલું જ રહેશે. આ પૃથ્વી પર વસવાટ કરતા તમામ પશુઓ, પક્ષીઓ તથા જીવજંતુઓનો વિનાશ થઈ જશે અને તે પાછળનું કારણ પણ મનુષ્ય જ હશે. કળિયુગના અંતિમ સમયગાળામાં માનવી અને પશુમાં કોઈ પ્રકારનું અંતર રહેશે નહી.

કળીયુગના અંતિમ સમયે વ્યક્તિ 16 વર્ષની વયે વૃદ્ધ થઈ જશે તથા 20 વર્ષની આયુએ તેનું મૃત્યુ થશે. આ પૃથ્વીનો વિ-નાશ કોઈ પ્રલય, વાવાઝોડું, ભૂકંપ વગેરે જેવી પ્રાકૃતિક આફતોના કારણે નહી પરંતુ, વધતા જતા ગરમીના પ્રમાણ ને લીધે થશે. કળિયુગના પૂર્ણ થવાના સમય સુધીમાં પૃથ્વી પર ગરમીનું પ્રમાણ એ હદ સુધી વધી જશે કે, લોકો માટે સહન કરવું અશકય બનશે.

આ રીતે થશે કલયુગ નો અંત..

બ્રહ્મપુરાણમાં, કળિયુગની અવધિ 4,32,000 વર્ષ કહેવામાં આવી છે, જેમાં મનુષ્યની ઉંમર ઓછામાં ઓછી 100 વર્ષ હશે. આ સિવાય જો આપણે મનુષ્યની લંબાઈ વિશે વાત કરીશું તો તેમની લંબાઈ ઓછામાં ઓછી 5.5 ફૂટ હશે. જેમ જેમ કલયુગનો અંત નજીક આવશે તેમ માનવ જાતિનો અંત આવશે.

લોકો એકબીજા પ્રત્યે દુ-શ્મનાવવા માંડશે અને એકબીજાને મા-રવા માંડશે. કલિયુગના અંત સુધીમાં, માણસની ઉંમર ફક્ત 13 વર્ષ હશે અને તેની લંબાઈ ફક્ત 4 ઇંચની હશે. આ સમયે, સ્ત્રીઓનો સ્વભાવ પણ ખૂબ કઠોર બનશે. ફક્ત શ્રીમંત લોકો જ સ્ત્રીઓ સાથે રહેશે. માનવીય સ્વભાવ વિશે વાત કરતાં, તેનો સ્વભાવ ગધેડા જેવો થઈ જશે.

પુરાણો અનુસાર, પૃથ્વી પર કલ્કી અવતારનો પણ ઉલ્લેખ છે. એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે પૃથ્વી પાપના ભાર હેઠળ દબાઇ જશે અને આ પૃથ્વી પર અપાર પાપ થશે, ત્યારે ભગવાન વિષ્ણુ કલ્કીના અવતાર સાથે પૃથ્વી પર આવશે અને આ પૃથ્વીને પાપીઓથી મુક્ત કરશે. આ પછી જ સતયુગ ફરી શરૂ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *