ઘણા સ્ત્રી સામયિકોના લગભગ દરેક અંકમાં સામાન્ય શરીર વિજ્ઞાન અને શરીર સુખ વિશે ઉપયોગી જાણકારી આવતી જ રહે છે. એનો લાભ તમે લઈ શકો છો. છતાં પણ તમારા સવાલોના જવાબ ક્રમ પ્રમાણે અહીં પ્રસ્તુત છે. સામાન્ય રીતે સમાગમ ન તો સ્ત્રી કે ન તો પુરુષ માટે પીડાદાયક કે તકલીફદાયક હોય છે.
આ મિલન તો બંને માટે સુખદ અને આનંદદાયક હોય છે. શરત એટલી કે બંને ખરા દિલથી તે સંબંધ બાંધતા હોય. ફક્ત પ્રથમ સમાગમ વખતે યો-નિચ્છેદના તૂટવાના સમયે સ્ત્રીને થોડી તકલીફ થાય છે, પરંતુ ધીરજ અને પ્રેમથી મિલન બહુ જલદી સહજ, સરળ અને વિધ્ન વગરનું થઈ જાય છે.
માસિકધર્મની શરૂઆતથી માંડીને રજોનિવૃત્તિ થાય ત્યાં સુધી દર મહિને સ્ત્રીનાં અંડાશયમાં એક કે એથી વધારે બીજ બને છે અને તે છૂટું પડે છે. આ બીજ માસિકચક્રના મધ્ય સમય દરમિયાન છૂટું પડે છે. એ દિવસોમાં શરીર સુખ કરવાથી પુરુષના વી-ર્યમાંના શુક્રાણુઓનિં સ્ત્રીના બીજ સાથે મિલન થાય છે.
એ દરમિયાન શુક્રાણુઓ દ્વારા ભેદીને તેમાંથી છૂટું પડેલું બીજ જ ગર્ભ ધારણ કરવા સક્ષમ હોય છે, જે ગ-ર્ભાશયમાં પોતાનું સ્થાન સ્થાપિત કરી લે છે અને પછી ધીમે ધીમે વિકસિત થાય છે.
પુરુષ સાથી નિરોધનો ઉપયોગ કરે એટલે એનું વી-ર્ય નિરોધની થેલીમાં જ રહી જાય છે. જેથી ગ-ર્ભ નથી રહેતો. નિરોધનો ઉપયોગ ગર્ભનિરોધક તરીકે જ થાય છે. શરીર સુખ વખતે પૂરેપૂરો સંતોષ મળે એટલા માટે એને ચીકાશવાળું પણ બનાવાય છે. જોકે તે શરીર સુખમાં કોઈ પણ રીતે મદદરૂપ નથી હોતું.