પ્રશ્ન : નમસ્તે સર, મારી ઉંમર ૩૪ વર્ષ છે. હું સારી જગ્યાએ નોકરી કરું છું. હાલ મને ઘરેથી લગ્ન માટે દબાણ કરી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી તે લોકો આ માટે ફોર્સ કરતા હતા પણ હું તેને પાછો ઠેલી રહ્યો હતો, હવે તો આ દબાણ વધી રહ્યું છે. પણ મારી સમસ્યા એ છે કે મને સ્ત્રીઓ પ્રત્યે આકર્ષણ નથી. મને પુરુષ ગમે છે. મારા એક મિત્રને આ વિશે જાણ છે, તે મારો પાર્ટનર છે. અમે સાથે જ રહીએ છીએ પણ આ વાત હું મારા ઘરનાને કઈ રીતે કહું? એમને કહેવાની મારી હિંમત થતી નથી.
જવાબ : જે સત્ય છે તે તમારે તમારા ઘરનાને જણાવવું જ પડશે. નહીં તો તેઓ તમને દબાણ કર્યાં કરશે અને આ દબાણવશ થઇને લગ્ન કરવાં એ તો મૂર્ખામી જ ગણાશે, કેમ કે તમે તમારા ભાવિ પાર્ટનરને ખુશ નહીં રાખી શકો. માટે આ વાત તમારા પરિવારને હિંમત કરીને જણાવી જ દો. એક દિવસ તો જણાવવી જ પડશે. તો આજે કેમ નહીં? બીજા કોઇને નહીં તો તમે માત્ર તમારાં માતા-પિતાને જણાવો.
સાહેબ, મારો પતિ નપુંસક છે, મને પરણ્યા પછી આજદિન સુધી તેને કોઈ શારીરિક સુખ આપ્યું નથી અને તે અન્ય એક ઈસમ સાથે સજાતિય સબંધ ધરાવે છે. ઘડીકવાર પોલીસ પણ અચંબામાં પડી ગઈ. નપુંસક પતિ સામે મહિલાએ જે રીતે વાકબાણ તીર છોડયાં છે તેને લઈને સનસનાટી મચી ગઈ છે.
હવે એવું લાગે છે કે દિકરીઓ ધરાવતા મા-બાપએ ભાવિ જમાઈના તમામ શારીરિક ટેસ્ટ કરાવ્યા પછી જ પરણાવી રહી. સુખી સંપન્ન પરિવારની પરપ્રાંતિય યુવતીને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પરણાવામાં આવી. પરણાવી તે દાડે જ યુવતીને ખ્યાલ આવ્યો કે તેનો પતિ નપુંસક છે. ખાનદાન પરિવારની યુવતીએ ભાગ્યમાં જે લખ્યું હશે તે ખરૃં.. તેમ માની જેવો હતો તેવો પતિ સ્વીકારી લીધો.
પરંતુ જેમ દિવસો પસાર થયા તેમ કંઈક વિચિત્ર હરકતો યુવતીના ધ્યાન પર આવી પછી તો યુવતીના પિતાની મિલ્કત પચાવી પાડવા માટે જ આ લગ્ન કરવામાં આવ્યું હોય તેવી ગંધ આવી ગઈ. જેથી પરણિતાને ત્રાસ આપવામાં આવ્યો. જેમાં મૂંગા મોંઢે પરણિતાએ ત્રાસ સહન કર્યો પરંતુ તેથીય આગળ વધી તેનો પતિ હોમોસેક્સ્યુઅલ છે અને અન્ય એક યુવાન સાથે અનૈતિક સબંધ ધરાવે છે
તેવી શંકા ઉપજી જેથી તેને વોચ ગોઠવી અને આખરે તેની શંકા સાચી ઠરી. નપુંસક પતિને અન્ય યુવાન સાથે સજાતિય સબંધો તોડી નાખવાની પણ વાત કરી પરંતુ ઉલ્ટાનું પતિ તથા તેનાં સાસરીયાંએ ઉશ્કેરાઈ પરણિતાને ગડદાપાટુનો માર મારવામાં આવ્યો. જો કે આખોય મામલો પોલીસ દફતરે પહોંચ્યો છે. પોલીસ પણ સમગ્ર કેસની ભીંતરમાં ઉંડી ઉતરી તપાસ હાથ ધર્યાનું જાણવા મળ્યું છે.
પ્રશ્ન : હું 29 વર્ષની પરણિત યુવતી છું, અમારા લગ્ન 5 વર્ષ પહેલા થયા હતા. મારા પતિ શરીર સુખ દરમિયાન મને પૂરતો આંનદ આપી શકતા નથી. તેને સમાગમ કરવાનું મન જ થતું નથી. હું દરરોજ અલગ અલગ પ્રવૃત્તિ કરી ને તેને રિઝવા માટે પ્રયત્ન કરું છું છતાં તે રોજ પથારીમાં જલ્દી નવરા થઇ જાય છે અને હું અધૂરી રહી જાવ છું. શું મારે હવે શરીર સુખ માટે જુના પ્રેમી સાથે સમાગમ કરવું જોઈએ કે નહિ..?