આ રીતે હળદર પીવાના ફાયદા જાણી ને તમારા પગ નીચે થી જમીન ખસી જશે..

હેલ્થ

હળદરનું સેવન કરવામાં આવે તો ઘણું ફાયદાકારક છે. હળદર શરીરમા રહેલી બિમારીઓને જડમૂળમાંથી દૂર કરે છે. હળદર માત્ર રસોડામાં વપરાતો એક મસાલો નથી તે આપણા સ્વાસ્થ્ય અને ત્વચા માટે પણ બહુ ગુણકારી છે. જેમ શરદી-ખાંસીમાં તેમજ કોઇ ઘા પડ્યો હોય તો તેને ભરવા માટે હળદરનો પ્રયોગ થાય છે. તેમ ત્વચાને નિખારવા માટે પણ વર્ષોથી આપણે ત્યાં હળદરનો પ્રયોગ કરવામાં આવે છે. હિન્દુ લગ્ન પ્રસંગે પીઠી ચોળવાની વિધિ તો તમને યાદ જ હશે, તેમાં પણ હળદરનો પ્રયોગ થાય છે.

પાચન તંદુરસ્ત બનશે

ગરમ પાણી અને હળદર પાચન ક્ષમતાને વધારે છે. નિયમિત રોજ ગરમ પાણી અને હળદર ને એક સાથે લેવાથી પાચનતંત્ર પર સારી અસર પડે છે.અને પાચન તંદુરસ્ત બને છે. જે લોકો ને કમજોર પાચનની ફરિયાદ રહે છે એ લોકોએ પાણી સાથે હળદરનું સેવન કરવું જોઈએ.

શ્વાસની સમસ્યા

જે લોકોને શ્વાસ સબંધી રોગો જેવા સાઈનસ કે દમ બ્રારોકાઈટીસ અને જામેલા કફની તકલીફ છે. તેને દૂર કરવા માટે હળદરને દૂધ સાથે ભેળવીને સેવન કરવાથી આ રોગોને મૂળમાંથી દુર કરે છે.

ડાયાબિટીસ

ગરમ પાણી અને હળદર ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. અને હળદર વાળું પાણી પીવાથી ડાયાબિટીસ હંમેશા કન્ટ્રોલમાં રહે છે માટે ડાયાબિટીસ થવા પર હળદર વાળું પાણી પીવાનું ચાલુ કરો. મોટા ભાગના લોકો ડાયાબીટીસના રોગીથી પીડાય છે તો તેઓએ હળદરનું અવશ્ય કરવું જોઈએ. હળદર ડાયાબીટીસ થી થતા ઘા ને જલ્દી જ ભરી દે છે.

આંખોની નીચેથી દૂર કરો ડાર્ક સર્કલ

આંખોની નીચે કાળા કુંડાળા પડી ગયા છે તેવોએ હળદર, ૧ ચમચી લીંબુનો રસ, બેસનની એક નાની ચમચી અને ટમેટાં નો રસ એક ચમચીને ભેળવીને તેની પેસ્ટ બનાવો.. પેસ્ટ આંખોની નીચે કાળા કુંડાળા ઉપર 10 મિનીટ લગાવીને રાખો અને પછી પાણીથી ધોઈ લો. આંખો ના કાળા કુંડાળા દુર થઇ જશે.

લોહી ચોખ્ખુ કરો

ગરમ પાણી અને હળદરના ફાયદા લોહીને સાફ કરવામાં અસરકારક સાબિત થાય છે.હળદર વાળું પાણી પીવાથી લોહીમાં આવેલી અશુદ્ધિઓ સાફ થાય છે. અને ચહેરો એકદમ ગ્લોઇંગ થઈ જાય છે. માટે જે લોકો ને પણ લોહી શુદ્ધ નથી તે લોકોને હળદર વાળું પાણી પીવું જોઈએ એક અઠવાડિયું સુધી પાણી પીવાથી તમારું લોહી એક દમ સાફ થઈ જશે.

સોજો ઓછો કરો

શરીરના સુજનને ઓછું કરવા માટે ગરમ પાણી અને હળદર ખૂબ ફાયદાકારક હોય છે.શરીરમાં સુજન થવા પર તમે હળદર વાળું પાણી પી લો.આ પાણી પીવાથી સુજન દૂર થઈ જશે અને દર્દથી પણ આરામ મળી જશે. હળદરમાં કરક્યુમીન નામનું તત્વ મળી આવે છે. અને આ તત્વ દર્દ અને સુજન ને દૂર કરવામાં કારગર સાબિત થાય છે. ઘણી વખત પડી જવાના કારણે ઘા કે ઇજા થતી હોય છે. તો હળદરની પેસ્ટ બનાવીને તે ઈજા વાળા ભાગ ઉપર બાંધવાથી ઈજા વાળો ચેપ દુર થઇ જાય છે.

કેન્સર

હળદરમાં રહેલા અમુલ્ય તત્વોના કારણે તે કેન્સર જેવા ભયાનક રોગોમાં પણ ખૂબ ગુણકારી છે. ખાલી પેટ હળદરનું સેવન શરીરને અંદરથી સાફ રાખે છે. કેન્સરને અટકાવવા માટે હળદરની ગોળીઓમાં લીમડાને ભેળવીને સેવન કરવાથી શરીરમાંથી કેન્સરની કોશિકાઓ દુર કરીને બહાર નીકળવા લાગે છે.

વજન ઘટાડો

વજન ઘટાડવા ગરમ પાણી અને હળદર ખૂબ ફાયદાકારક છે. વધારે વજનથી જે લોકો પરેશાન હોય તે લોકોએ રોજ સવારે ગરમ પાણી સાથે હળદર ખાવી જોઈએ. આવું કરવાથી વજન ઓછું થઈ જશે.

મગજ માટે ફાયદાકારક

હળદરને મગજ માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. અને આનું સેવન પાણી સાથે કરવાથી દિમાગ હંમેશા તંદુરસ્ત રહે છે અને અલજાઈમ રોગ થવાનો ખતરો પણ ઓછો થઈ જાય છે.

હળદરનું સેવન કોને ન કરવું?

ગર્ભવતી મહિલાઓએ હળદરના પાણી નું સેવન ન કરવું જોઈએ, કેમ કે આ પાણી પીવાથી મહિલાઓને તકલીફ થઈ શકે છે. અને જે લોકોને ગેસ ની સમસ્યા રહે છે. એ લોકો પણ સેવન ના કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *